એમ કોઈને કંઈ પૂછાય નહિ,
એમ કોઈને કંઈ કહેવાય નહિ
છે આતો સ્વાર્થી માણસો
એમ એમનો વિશ્વાસ કરાય નહિ.
એમ જ થઈ જતી હતી વાતો પહેલા,
હવે તો પરવાના વગર કંઈ બોલાય નહિ.
છે આતો સ્વાર્થી માણસો,
એમ એમનો વિશ્વાસ કરાય નહિ.
એમ તો ઘણી ઘસી છે,
પોતાની જાત ને એમના માટે,
પણ હવે કોણ બતાવે અમાસ ને પૂનમનો ઉજાસ,
છે આતો સ્વાર્થી માણસો,
એમ એમનો વિશ્વાસ કરાય નહિ.
©'મધુ'
#madhu