"ચમત્કાર..."
આનંદ થી અંતર ઉભરાય ત્યારે,
રાસ કરવા મારો શ્યામ જાગે છે!
તમસ કેરું વિષ પીવાને ટાણે,
અંતર માં નીલકંઠ નો સાદ વાગે છે!
સમજું ઘણું પણ, એના સીમાડા ક્યાં?
ઓચિંતાજ ક્યારેક માં સરસ્વતી નો અજવાસ લાગે છે!
સ્વાર્થી અને નિર્દય આ પાષાણ હૃદય ને રોકવા,
તત્ક્ષણજ કરુણાનિધાન નો સાદ વાગે છે!
ત્યાગ અને પરોપકાર જ્યારે ક્ષીણ થવા લાગે,
તો ત્યારે મારો અંતર માનો રામ જાગે છે!
લોકો પૂછે કે આસ્તિક થઈ શું પામ્યા 'રુદ્ર'?
ત્યારે વિચારી આ વાતો, પરમેશ્વર નો ચમત્કાર લાગે છે!
- જય ત્રિવેદી ("રુદ્ર")
©Jay Trivedi
Continue with Social Accounts
Facebook Googleor already have account Login Here